March 7, 2026

અમદાવાદમાં T20 વર્લ્ડ કપ ફાઇનલને પગલે ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર

અમદાવાદમાં T20 વર્લ્ડ કપ ફાઇનલને પગલે ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનારી ICC Men’s T20 World Cup India-2026 ની ફાઇનલ મેચને ધ્યાનમાં રાખીને શહેર ટ્રાફિક પોલીસે વિશેષ ટ્રાફિક વ્યવસ્થા જાહેર કરી છે. મેચના દિવસે સ્ટેડિયમ આસપાસ મોટી સંખ્યામાં દર્શકો પહોંચવાની શક્યતા હોવાથી કેટલાક મુખ્ય માર્ગો પર વાહનોની અવર-જવર માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમજ ટ્રાફિકને સરળ બનાવવા માટે વિકલ્પ માર્ગો (ડાયવર્ઝન) નક્કી કરવામાં આવ્યા છે.

ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ જાંપથ ટી પોઈન્ટથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ તરફ તથા કૃપા રેસિડેન્સી તરફથી મોટેરા ગામ તરફ જતા માર્ગ પર સામાન્ય વાહનવ્યવહાર માટે પ્રતિબંધ રહેશે. આ માર્ગો પર ફક્ત ઇમર્જન્સી અથવા અધિકૃત વાહનોને જ અવર-જવર કરવાની મંજૂરી આપવામાં આવશે.

ટ્રાફિકને સરળ અને સુરક્ષિત બનાવવા માટે કેટલાક વિકલ્પ માર્ગોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તપોવન સર્કલથી ઓ.એન.જી.સી. ચાર રસ્તા તરફથી આવતા વાહનોને જાંપથ ટી પોઈન્ટ સુધી વિકલ્પ માર્ગનો ઉપયોગ કરવો પડશે, જ્યારે કૃપા રેસિડેન્સી ટી પોઈન્ટથી રાણા સ્ટેચ્યુ ચાર રસ્તા તથા ભાટ કોટેશ્વર રોડ તરફ જતાં વાહનોને પણ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે મેચના દિવસે સ્ટેડિયમ વિસ્તાર તરફ જતા પહેલા ટ્રાફિક સંબંધિત માહિતી મેળવી લેવી અને પોલીસ દ્વારા સૂચિત વિકલ્પ માર્ગોનો ઉપયોગ કરીને સહકાર આપવો. ઉપરાંત, ટ્રાફિક ભીડને ટાળવા માટે શક્ય હોય ત્યાં સુધી જાહેર પરિવહનનો ઉપયોગ કરવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.

Written by

Jay Mehta

District Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

INdian Press Union (IPU) A National Platform for Journalists and Media Professionals.

© 2026 All Rights Reserved IPU MEDIA ASSOCIATION