પશ્ચિમ બંગાળમાં ભાજપની વિજયી લીડ પર અમિત શાહે શું કહ્યું?
વલણોમાં પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મોટી જીત મળતી દેખાઈ રહી છે. તેણે તૃણમૂલ કૉંગ્રેસ પર મોટી લીડ મેળવી છે.
પશ્ચિમ બંગાળમાં મળેલી આ લીડ પર ભાજપ નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, “પશ્ચિમ બંગાળમાં ભાજપને મળેલી આ ઐતિહાસિક જીત અમારા અસંખ્ય કાર્યકર્તાઓના ત્યાગ, સંઘર્ષ અને બલિદાનને કારણે છે. આ એ પરિવારોની ધીરજની જીત છે જેમણે હિંસા સહન કરીને પણ ભગવો ધ્યજ ન છોડ્યો.”
તેમણે લખ્યું, “ભાજપની શૂન્યથી આજે પ્રચંડ બહુમત સુધી પહોંચવાની કઠિન યાત્રામાં જે કાર્યકર્તાઓએ પોતાના પ્રાણની આહૂતિ આપી છે, હિંસા સહન કરી છે, યાતના ભોગવી છે અને છતાં પોતાની વિચારધારા છોડી નથી, તે તમામ કાર્યકર્તાઓને અને તેમના પરિજનોને હું નમન કરું છું. બંગાળની જનતાએ આ પ્રચંડ બહુમતથી ભાજપના એ તમામ શહીદ કાર્યકર્તાઓને શ્રદ્ધાંજલિ આપી છે.”